Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

અરૂણાચલમાં વાદળ ફાટતાં ભીષણ પૂરમાં ત્રણનાં મોતઃ સિક્કિમમાં ભૂસ્ખલન

અરૂણાચલમાં બે સ્થળે ભૂસ્ખલનથી ૬૦ થી વધુ મકાનોને નુકશાનઃ અનેકનું સ્થળાંતર

ગંગટોકઃ સિક્કિમ અને દાર્જિલિંગમાં સતત ભારે વરસાદથી અનેક સ્થળે ભૂસ્ખલન થતાં મોટા ભાગના રસ્તાઓ બંધ થયા હતા. ઘણા સ્થળે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું. અરૂણાચલમાં પણ નવેસરથી પૂર આવતા ત્રણનાં મોત થયા હતા અને ઘણા વાહનો તણાઈ ગયા હતા. ઉત્તર સિક્કિમનું મુખ્ય મથક મંગાન રોડ ગંગટોકથી વિખુટું પડ્યું હતું. રિફેંગ બોલા નદી પરનો પુલ તૂટી પડયો હતો.(૩૦.૩)

(12:00 pm IST)