Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

40 ટ્રેનોના ફ્લેક્સી ફેરમાં રાહત આપવાની થશે જાહેરાત : રેલવે બોર્ડે રાહત આપવા માટે ઘણા ઓપ્શન્સ તૈયાર કર્યા

 

નવી દિલ્હી :ફ્લેક્સી ફેરના કારણે મોંઘી મુસાફરી કરી રહેલા રેલવે યાત્રીઓને જલ્દી રાહત મળી શકે છે. રેલવે બોર્ડે રાહત આપવા માટે ઘણા ઓપ્શન્સ તૈયાર કર્યા છે અને હવે આશા છે કે આગામી દિવસોમાં રેલમંત્રી પીયૂષ ગોયલ વિકલ્પોને મંજૂરી આપી શકે છે. જો કે, રેલવે યાત્રીઓને કેટલી રાહત મળશે તે તો રેલવેમંત્રી કયો વિકલ્પ પસંદ કરે છે તેના પર આધાર રાખે છે.

(8:51 am IST)