Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ગરીબોની મદદ માટે ૧૪૫૦૦ કરોડ દાન કરશે એમેઝોનના સીઇઓ જેફ બેજોસ

નવીદિલ્હી, તા.૧૪: નવી દિલ્હીઃ દુનિયાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનના સીઈઓ જેફ બેજોસે ગરીબોની મદદ માટે ૨ અરબ ડોલર એટલે કે ૧૪,૫૦૦ કરોડ રુપિયા દાન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે પરોપકાર માટે એક ફંડની શરુઆત કરી છે જેનાથી બેદ્યર પરિવારો અને ગરીબ બાળકોની મદદ કરવામાં આવશે.

આ ફંડ બે ભાગમાં વહેંચાશે. જે ડે-૧ ફેમિલીઝ ફંડ અને ડે ૧ એકેડમીઝ ફંડ હશે. આ ફંડની શરુઆતની જાહેરાત કરતા બેજોસે ટ્વિટ કરીને જણાવ્યું કે બેજોસ ડે વન ફંડની જાહેરાત કરતા અમને ખૂબ ખુશી થાય છે. આની શરુઆતમાં ૨ અબજ ડોલર આપવાના છે અને આમાં બે મુખ્ય ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવશે.

બેજોસે જણાવ્યું કે ડે ૧ ફેમિલીઝ ફંડ દ્વારા સામાજિક કાર્યોમાં જોડાયેલી સંસ્થાઓ, નાગરિક સંગઠનોને વાર્ષિક એવોર્ડ પણ આપવામાં આવશે. ડે ૧ એકેડમીઝ ફંડ દ્વારા એક ઉચ્ચ સ્તરીય પૂર્ણ સ્કોલરશિપ વાળી પ્રી-સ્કૂલોનું નેટવર્ક ઉભુ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એમેઝોનના સીઈઓની કુલ સંપત્ત્િ। ૧૬૦ અબજ ડોલરથી વધારે છે. ફોર્બ્સ અનુસાર બેજોસ દુનિયાના મોટા ધનીક વ્યકિત છે. આ પહેલા અમેરિકામાં જ માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે અરબો ડોલરનું દાન કર્યું હતું. તેમણે મેલિંડા એન્ડ ગેટ્સ ફાઉન્ડેશનની સ્થાપના દ્વારા આશરે ૨૭ અરબ ડોલરનું દાન કર્યું હતું. અમેરિકાના જ દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટે પણ ૨૧.૫ અબજ ડોલરની સંપત્ત્િ।ને પરોપકારમાં લગાવી દીધી છે.(૨૨.૧૩)

(3:52 pm IST)