Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

રાજકોટમાં કોરોનાનો કહેર જારી : બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 26 કેસ : કુલ કેસની સંખ્યા 2083 થઇ

ગઈકાલ સુધીમાં વધુ 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા કુલ 1090 દર્દીઓ સાજા થયા

રાજકોટ : રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ 26 કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 2083 થઇ છે ગઈકાલ સુધીમાં વધુ 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા કુલ 1090 દર્દીઓ સાજા થયા છે આજ સુધીમાં રિકવરી રેઈટ ૫૨.૯૮ % થયો છે  જયારે પોઝિટિવિટી રેઈટ :- ૭.૫૫ % છે

(1:35 pm IST)