. પૂજય બાપુના નેતૃત્વમાં આઝાદીના આંદોલનને ઉર્જા મળી.
. વિસ્તારવાદ માટે પડકાર બનેલી ભારત.
. વિશ્વમાં એકજુટતા, સામૂહીકતાની તાકાત સાથે દેશ આગળ વધ્યો.
. કોરોનામાં ભારતે આત્મનિર્ભર બનવાનો સંકલ્પ કરેલ.
. આ શબ્દ નથી આજે ૧૩૦ કરોડ ભારતીયો માટે મંત્ર બન્યો.
. જે પરિવાર માટે જરૂરી છે તે દેશ માટે પણ આવશ્યક છે.
. ભારત એક વાર જે નક્કી કરે તે કરીને જ રહે છે.
. મને યુવાઓ, મહિલાઓ ઉપર પૂર્ણ વિશ્વાસ છે.
. આત્મનિર્ભરનો પાયો આત્મ વિશ્વાસથી ભરેલ ભારત.
. આપણા માટે વિશ્વ એક પરિવાર છે.
. વિશ્વ ઇન્ટર કનેકટેડ અને ઇન્ટર ડીપેડેન્ટ છે.
. આર્થિક વિકાસ જરૂરી પણ માનવ અને માનવતા કેન્દ્ર સ્થાને જરૂરી.
. આપણા દેશમાં અથાક પ્રાકૃતિક સંપદા છે.
. પ્રાકૃતિક સંશાધનોમાં મૂલ્ય વૃદ્ધિ જરૂરી.
. વિશ્વસ અપેક્ષા પૂરી કરવા કૃષિ જગતને આગળ વધારવું જરૂરી.
. કૃષિક્ષેત્રને કાયદાકીય બંધનમાંથી મુકત કર્યું.
. ભારત જેને અન્ન જોઇએ તેને અન્ન પુરૂ પાડે છે.
. ભારતની વસ્તુઓની દુનિયામાં વાહવાહી થાય.
. આત્મનિર્ભર ભારત સામે લાખો પડકારો છે.
. આઝાદ ભારતની માનસિકતા લોકલ ફોર વોકલ જીવનમંત્ર બનવો જોઇએ.
. ગરીબોના જન-ધન-ખાતામાં લાખો-કરોડો રૂપિયા જમા થશે એ કોણ વિચારતું ?
. કોરોના કાળમાં પણ વિશ્વની મોટી-મોટી કંપનીઓ ભારત તરફ વળી છે.
. આ એમજ નથી બન્યું.
. એફડીઆઇમાં ૧૮ ટકાનો વધારો.
. મેક ફોર વર્લ્ડનો મંત્ર.
. સમુદ્રી તટોના પૂરા ભાગમાં ૪ લેન રોડ બનાવાશે.
. હવે આપણા બધા ઇન્ફ્રાસ્ટકચર ઇન્ટીગ્રેટેડ થાય તે દિશામાં આગળ વધવાનું છે.
. છેલ્લા ૬ વર્ષમા લોકોનું જીવન બહેતર બનાવવા અંગે અનેક યોજના.
. ૮૦ કરોડ લોકોને કોરોનામાં મફત અનાજ અપાયું.
. મફત ગેસ સીલીન્ડર અપાયા.
. ૯૦ હજાર કરોડ રૂપિયા સીધા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાયા.
. ૧૧૦ જીલ્લાઓને આઇડેન્ટીફાય કરી રોજગાર, શિક્ષા, મેડીકલ સહાય માટે સક્ષમ બનાવવા પગલા.
. ખેડૂતોની આવક વધારવા વૈકલ્પિક વસ્તુઓ ઉપર જોર આપ્યું.
. ગ્રામીણ ઉદ્યોગને મજબૂત કરવા જરૂરી.
. જલ જીવન મિશનને એક વર્ષ પૂર્ણ, દરરોજ ૧ લાખથી વધુ લોકોને નળ દ્વારા ચોખ્ખું પાણી પુરૂ પાડયું, ર કરોડ લોકોને ે પાણી પહોંચાડાયું.
. કો-ઓપોરેટીવ બેન્કોને આરબીઆઇ સાથે જોડવી મોટુ પગલુ
. નવી શિક્ષણનીતિ આત્મનિર્ભર ભારત માટે મહત્વની.
. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શોધ ઉપર જોર અપાયું.
. ભીમ યુ એન્ડ આઇ દ્વારા ૩ લાખ કરોડનું ટ્રાન્ઝેકશન ફકત ૧ મહિનામાં
. ર૦૧૪ પહેલા ફકત પ ડઝન ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાયબર.
. જયારે ગત પાંચ વર્ષમાં ૧.પ૦ લાખ ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાયબર પહોંચ્યા.
. ૬ લાખથી વધુ ગામોમાં ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક પહોંચાડશે.
. ૧ હજાર દિવસમાં આ કામ પૂર્ણ કરાશે.
. સાયબર સ્પેસમાં નવી વ્યવસ્થા વિકસીત કરાઇ રહી છે.
. સાયબર સુરક્ષા રણનીતિ લવાશે.
. મહિલાઓ ખાણમાં કામ કરે છે તો આકાશમાં ફાયટર પ્લેન પણ ઉડાડે છે.
. ૪૦ કરોડ જનધન ખાતામાંથી રર કરોડ ખાતા મહિલાઓના છે.
. વડાપ્રધાન આવાસ યોજનામાં પણ મહિલાઓએ લાભ લીધો.
. હેલ્થ સેકટર ખૂબજ આગળ વધ્યું, હાલ દેશમાં ૧૪૦૦ લેબ. કોરોના ટેસ્ટ કરે છે. દરરોજ ૭ લાખ ટેસ્ટ થાય છે.
. આજથી નેશનલ ડીજીટલ હેલ્થ મિશનનો પ્રારંભ. ઇલાજમાં આવતી પરેશાની ઓછી કરવા ટેકનીકનો ઉપયોગ
. એક હેલ્થ આઇ ડી કાર્ડ દરેક નાગરીકોને અપાશેઃ જેમાં તમામ વિગતો અપાશે
. આપણા વૈજ્ઞાનિકો અનેતેની પ્રતિભા લેબોરેટરીમાં કોરોનાની રસી બનાવવા તપસ્યા કરી રહ્યા છે
. ત્રણ-ત્રણ વેકસીન અલગ-અલગ તબકકામાં છે
. રસીના ઉત્પાદન બાદ તેના ડીસ્ટ્રીબ્યુશનને લઇને પણ રૂપરેખા તૈયાર
. ગત એક વર્ષ જમ્મુ-કાશ્મીરની વિકાસ યાત્રા માટે મહત્વપૂર્ણ
. લડાખને કેન્દ્ર શાસીત પ્રદેશ બનાવી તેમની ઇચ્છાઓ-આકાંક્ષાઓ પૂર્ણ કરી
. પર્યાવરણ સાથે પગલા ભરી વિકાસ સંભવ, રીન્યુઅલ એનર્જીમાં ભારત વિશ્વમાં ૧ થી પમાં સામેલ
. પ્રદુષણ ઘટાડવા જોર અપાય રહ્યું છે
. આજે ર૦૦ કરોડ લીટર ઇથોનેલ બની રહ્યું છે જે પ્રદુષણ ઘટાડવા ઉપયોગી
. ભારતમાં જંગલો વિસ્તર્યા છે, પ્રોજેકટ ટાઇગર, પ્રોજેકટ એલીફન્ટ દ્વારા સંખ્યામાં વધારો
. હવે પ્રોજેકટ લાયન લોન્ચ કરાશે ઉપરાંત ડોલ્ફીન પણ શરૂ કરાશે
. દેશની સંદ્રભુતા ઉપર આંખ ઉઠાવનારને ભારતીય જવાનોએ તેની જ ભાષામાં જવાબ આપ્યો
. દક્ષીણ એશીયામાં વિશ્વની ૧/૪ વસ્તી, આ વિસ્તારમાં જેટલો સૌહાર્દ હશે તેટલી વિશ્વની માનવતા વધશે
. રક્ષા ઉત્પાદનોમાં આત્મનિર્ભર ભારત માટે પગલા લેવાયા
. મિસાઇલ અને અન્ય શસ્ત્રો મેક ઇન્ડીયા હશે. હાલમાં ૧૦૦ થી વધુ સૈન્ય ઉત્પાદનોની આયાત મુલત્વી રાખી
. ટાપુઓનો વિકાસ કરાશે
. સીમાવર્તી ૧૭૩ જીલ્લાઓમાં NCCના જવાનો માટે વિસ્તારાશે. જેમાં એક તૃતીયાંશ દિકરીઓ રહેશે ત્રણેય પાંખો દ્વારા કેડેટસને ટ્રેનીંગ અપાશે
. ગત એક વર્ષમાં દેશમાં મહત્વપૂર્ણ નિર્ણયનો પડાવ પૂરો કર્યો
. રામજન્મભૂમિના સદીઓ જુના વિષયનું સમાધાન થયુ ભવ્ય રામમંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયુ
. આ દશકામાં ભારત નવી નિતી-રીતીથી આગળ વધશે
. આજે ફરીથી આઝાદી માટે બલીદાનીઓના સપના પુરા કરવા, ૧૩૦ કરોડ ભારતીયોની આકાંક્ષા પુરી કરવા લોકલ ફોર વોકલ, ઓછામાં ઓછી આયાત થાય અને બધાને એનપાયર કરવા સંકલ્પ કરવો જરૂરી
. આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થશે ત્યારે આપણે સંકલ્પબદ્ધ બનીએ
. કોરોના આત્મનિર્ભર ભારતને રોકી નહીં શકે. ર૧મી સદીનો ત્રીજો દશકો આપણા સપના પૂરા કરવાનો હોય
. કોરોના કાળમાં કોરોના વોરીયર્સને નમન કરૂ છું