Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

અભિનેત્રી વિદ્યા સિંહાનું ૭૧ વર્ષની ઉંમરે નિધન

મુંબઈઃ વિતેલા સમયની લોકપ્રિય એકટ્રેસ વિદ્યા સિંહા (૭૧)નું નિધન થયું હતું. તેમણે મુંબઈમાં જૂહુ સ્થિત ક્રિટીકેર હોસ્પિટલમાં આજે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમનું નિધન બપોરના ૧૨ વાગ્યાની આસપાસ થયું હતું.

વિદ્યા સિંહાને ફેફસા તથા કાર્ડિયેક ડિસઓર્ડરની બીમારી હતી. તેમને છેલ્લાં કેટલાંક વર્ષોથી ફેફસા સંબંધિત બીમાર થઈ હતી અને તેમને ત્રણ મહિના પહેલાં જ બીમારી અંગે જાણ થઈ હતી.

ગયા અઠવાડિયે વિદ્યા સિંહાની તબિયત ગંભીર હતી અને તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં. તેમનું બ્લડ પ્રેશર તથા પ્લસ રેટ સ્થિર થયાં બાદ તેમને પોઝીટિવ એરવે પ્રેશર  વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યાં હતાં. વિદ્યાને એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ આપી હતી પરંતુ સંબંધીઓ આ વાત પર સહમત નહોતાં.

વિદ્યા સિંહાએ છોટી સી બાત, રજનીગંધા, શ્નપતિ પત્ની ઔર વો, તુમ્હારે લિયે, મુકિત, ઈનકાર, સ્વયંવર, મગરૃર, સફેદ જૂઠ સહિતની ફિલ્મ્સમાં કામ કર્યું હતું. તેમણે લોકપ્રિય ટીવી સિરિયલ્સ કાવ્યાંજલિ, કૂબૂલ હૈં, કુલ્ફી કુમાર બાજેવાલામાં પણ કામ કર્યું હતું.

વિદ્યા તેમની રીલ લાઈફ સિવાય રિયલ લાઈફને લઈને પણ ઘણા ચર્ચામાં રહ્યાં હતાં. તેમણે ૨૦૦૯માં તેમના બીજા પતિ નેતાજી ભીમ રાવ સાલુંકે વિરુદ્ઘ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે તેના પર મેન્ટલી અને ફિઝિકલી હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. તેમણે પતિ વિરુદ્ઘ કેસ કર્યો હતો જે તેઓ જીતી ગયાં હતાં. ત્યારબાદ બંનેએ ડિવોર્સ લઇ લીધા હતા.(૩૭.૭)

(7:11 pm IST)