Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

સરહદે તંગદિલી વચ્ચે સ્વતંત્રતા દિવસે અટ્ટારી-વાઘા બોર્ડરે ભારત-પાકિસ્તાન દ્વારા મીઠાઈ અપાઈ

  ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડર પર તંગ માહોલ વચ્ચે બે વર્ષ બાદ ભારત અને પાકિસ્તાને સ્વતંત્રતા દિવસ નિમિતે મીઠાઇઓની આપ-લે કરી હતી.

  ભારતના સૈન્ય અધિકારીઓએ અટારી-વાઘા બોર્ડર પર પાકિસ્તાનના અધિકારીઓને મીઠાઇ આપી હતી. આ પહેલા પાકિસ્તાને તેમના સ્વતંત્રતા દિવસ નિમિતે ભારતને મીઠાઇ આપી હતી.જે બાદ આજે 15 ઓગસ્ટના રોજ ભારતીય અધિકારીઓએ પાકિસ્તાનને મીઠાઇ આપી છે.   

અત્રે ઉલ્લેખનીય છે કે સરહદ પર સતત તંગદિલીભર્યા માહોલને કારણે તેમજ પાકિસ્તાન તરફથી સતત થઇ રહેલા સીઝફાયર ઉલ્લંઘનને કારણે બંને દેશો વચ્ચે સ્વતંત્રતા દિવસ તેમજ તહેવારો નિમિતે મીઠાઇઓની આપલે બંધ કરવામાં આવી હતી

(2:48 pm IST)