Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

18મીએ દિલ્હીમાં રાહુલ ગાંધી બુદ્ધિજીવીઓને કરશે સંબોધિત :1500 જેટલા પ્રોફેસરો રહેશે ઉપસ્થિત

નવી દિલ્હી :લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ચૂંટણી પ્રચાર માટે કામે લાગી ગયા છે. રાહુલ ગાંધી આગામી 18 ઓગસ્ટના રોજ બુદ્ધીજીવીઓને સંબોધિત કરશે. આ કાર્યક્રમ રાજધાની દિલ્હીના સિવિક સેન્ટરમાં યોજાવાનો છે. જેમા 1500 જેટલા પ્રોફેસર્સ હાજરી આપશે. રાહુલ ગાંધી 18મી ઓગસ્ટ બાદ 25મી ઓગસ્ટના રોજ લંડનમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે.

 

(1:27 pm IST)