Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

હૈદરાબાદ : ગોલકુંડા કિલ્લા સ્થિત મસ્જિદમાં જુમ્આની નમાઝ પઢવાની પરવાનગી આપવાનો ઇન્કાર

ફોટો : ગોલકુંડા મસ્જિદ

હૈદરાબાદ ફ પુરાતત્વ વિભાગે ગોલકુંડા કિલ્લા સ્થિત મસ્જિદમાં જુમ્ખા (શુક્રવાર)ની નમાઝ પઢવા માટેની પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક ધારાસભ્ય ગોલકુંડા સ્થિત મસ્નિદમાં જુમ્ખાની નમાજ પઢવા દેવાની પરવાનગી માંગતા અધિકારીઓને લેખિતમાં પત્ર પાઠવ્યો હતો.

પુરાતત્વ વિભાગે આ પત્રના જવાબ આપતા લખ્યું કે વિભાગને ગોલકુંડા કિલ્લાની દેખરેખ માટેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે મસ્જિદમાં કોઇ નમાઝ પઢવામાં આવતી ન હોતી.

પુરાતત્વ વિભાગે ગેરકાયદે વિવાદ સંબંધમાં સહયોગ આપવા માટે લોકપ્રતિનિધિઓની એક બેઠક યોજી હતી.

(12:19 pm IST)