Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

કેરળમાં ભારે વરસાદ બાદ પુરમાં નાશ પામેલા પાસપોર્ટને મફતમાં બદલી આપવામાં આવશે : સુષ્મા સ્વરાજ

નવી દિલ્હી : ગઇકાલે મુખ્યમંત્રી પિનારાઇ વિજયને મૃતકોના સંબંધીઓને ૪ લાખ રૂપિયા અને પુરમાં પોતાની સંપત્તિ ખોઇ બેસનારા લોકોને ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

કેરળમાં આવેલા ભારે વરસાદને પગલે ખુબ જ નુકશાન થયું છે ત્યારે આજે વિદેશમંત્રાલય દ્વારા કેરળના લોકો માટે રાહતે આપનારા સમાચાર સામે આવ્યા છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે જાહેરાત કરી છે કે પુરને કારણે જે લોકોના પાસપોર્ટ ખરાબ થઇ ગયા છે, તેને મફતમાં બદલી આપવામાં આવશે. લોકોને આ માટે પાસપોર્ટ કેન્દ્રનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે.

(12:18 pm IST)