Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

છત્તીસગઢના રાજ્યપાલ બલરામદાસ ટંડનનું નિધન થતાં

આનંદીબેન પટેલને મધ્યપ્રદેશની સાથે છત્તીસગઢના રાજ્યપાલનો પણ ચાર્જ સોંપાયો

મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આનંદીબેન હવે મધ્યપ્રદેશની સાથે-સાથે છત્તીસગઢના રાજ્યપાલ તરીકે પણ ફરજ નિભાવશે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના રાજ્યપાલ બલરામદાસ ટંડનનું નિધન થતાં આનંદીબેનને વધારાનો છત્તીસગઢનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બલરામજી દાસટંડનના નિધન બાદ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને છત્તીસગઢના વધારાનો પ્રભાર સોંપ્યો છે.

રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાએ કહ્યું કે છત્તીસગઢના રાજ્યપાલની નિમણૂંક કરવામાં ન આવે ત્યાં સુધી આનંદીબેન પટેલ પાસે આ વધારાનો ચાર્જ સંભાળશે.

ભાજપના માતૃ સંગઠન જનસંઘના સંસ્થાપક સભ્યોમાંથી એક ટંડનનું હાર્ટએટેકના કારણે રાયપુરની એક સરકારી હોસ્પિટલમાં નિધન થયું.

(11:44 am IST)