Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

છત્તીસગઢના રાજ્યપાલ બલરામજી દાસ ટંડનનું 90 વર્ષની વયે નિધન

પંજાબના નાયબ મુખ્યમંત્રી પડે રહી ચૂકેલા ટંડન છ વખત ધારાસભ્ય રહેલા અને કટોકટી દરિમયાન 1975 થી 1977 સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો

 

રાયપુર :છત્તીસગઢનાં રાજ્યપાલ બલરામજી દાસ ટંડનનું 90 વર્ષની વયે નિધન થયું છે તેમની તબીયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા રાજ્યપાલનાં સચિવ કુમાર જાયસ્વાલે જણાવ્યું કે, ટંડન સવારે બેચેની અનુભવી રહ્યા હતા ત્યારબાદ તેમને ડૉ.બી આર આંબેડકર મેમોરિયલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં તેમનું નિધન થયું હતું.

   ટંડન જનસંઘનાં સ્થાપક સભ્ય પૈકીનાં એક હતા જનસંઘ બાદમાં ભારતીય જનતા પાર્ટી બની ગઇ હતી ટંડનને જુલાઇ 2014માં છત્તીસગઢમાં રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા હતા. ટંડન તેમના લાંબા રાજકીય કાર્યકાળ દરિમયાન પંજાબનાં નાયબ મુખ્યમંત્રી સહિત વિવિધ પદો પર બિરાજમાન રહ્યા હતા. છ વખત ધારાસભ્ય રહેલા ટંડને કટોકટી દરિમયાન 1975 થી 1977 સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો.

(12:00 am IST)