Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

સચીન વિરૂધ્ધ કાર્યવાહીના અવળા પડઘાઃ અનેક દિગ્ગજો ભડકયા

શશી થરૂર પણ હવે દુઃખ દર્શાવ્યું

 નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસે બળવો કરનાર નેતા સચિન પાયલટ કાર્યવાહી કરી છે,પાયલોટને નાયબ મુખ્યમંત્રી પદ અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે. સચિન પાયલટ પર કાર્યવાહીથી જિતિન પ્રસાદ અને પ્રિયા દત્ત્। જેવા યુવા નેતાઓ દુઃખી છે, ત્યારે હવે વરિષ્ઠ નેતા શશી થરૂરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

 શશિ થરૂરે ટ્વીટ કર્યું છે કે, 'હું સચિન પાયલટના કોંગ્રેસ છોડવાની લઈને દુઃખી છું. કાશ વાત આટલા આગળ સુધી ના પહોંચી હોત. અલગ થવા કરતાં પાયલટે   પાર્ટીને વધારે પ્રભાવશાળી બનાવવાના પ્રયત્નોમાં સામેલ થવું જોઈતું હતું.'

કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રિયા દત્ત્।ે પણ કહેલ કે મહત્વકાંક્ષી હોવું કોઈ ગુનો નથી. તેમણે જયોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટનું નામ લીધા વિના જ જણાવ્યું કે, જેમણે કોંગ્રેસમાં સંકટ સમયે આકરી મહેનત કરી, તેમનું પાર્ટીમાંથી જવું દુઃખદ છે.

 કોંગ્રેસના અન્ય યુવા નેતા જિતિન પ્રસાદે  જણાવ્યું કે  સચીને પાર્ટી માટે સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે કામ કર્યું છે. આશા છે કે, આ સ્થિતિ જલ્દી થાળે પડશે.

અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે પણ પાર્ટીની સ્થિતિને લઈને પોતાની ચિંતા વ્યકત કરી હતી .

(4:04 pm IST)