Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કેન્દ્રની બેરૂખીને કારણે દેશભરમાં કિસાનો છે તકલીફમાં : મમતા

કોલકતા : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કેન્દ્ર સરકારની બેરૂખીને કારણે દેશભરના ખેડૂતો તકલીફમાં છે. સાથે જ તેમણે ખેડૂતોના કલ્યાણ માટે લડાઇ લડવાનો સંકલ્પ પણ લીધો.

મમતાએ કહ્યું કે આજનો દિવસ સિંગૂર ભૂમિ પુનર્વાસ એવં વિકાસ વિધેયકના ૧૦ વર્ષ પુરા થવાના રૂપમાં મનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે એક લડાઇ પછી વિધાનસભામાં આ ખરડો પાસ થયો હતો. મુખ્યપ્રધાને ટવીટ કર્યુ, '' આજે મને એ વાતથી પીડા થાય છે કે દેશભરમાં આપણા ખેડૂતભાઇએ કેન્દ્રની બેરૂખીના કારણે તકલીફ ભોગવી રહ્યા છે. આપણે સૌ સાથે મળીને, આપણા સમાજના આ મુખ્ય સ્થંભની ભલાઇ સુનિશ્ચત કરવા માટે આપણી લડાઇ ચાલુ રાખીશુ.

(3:25 pm IST)