Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

તેલંગાણામાં જૂનના અંત સુધીમાં ૧ કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્ય

નવી દિલ્હી,તા. ૧૫ : કોરોનાથી નિપટવા તેલંગાણા સરકારે રસીકરણની ગતિ વધારવાનો નિર્ણય કરતા જૂન સુધીમાં ૧ કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્ય રાખ્યુ છે. હેલ્થ ડાયરેકટર ડો.રાવે જણાવેલ કે હાલ દરરોજ ૨ લાખ લોકોનું રસીકરણ કરાઇ રહ્યું છે. રાજ્ય પાસે ૯ લાખ ડોઝ છે અને વધુ ખરીદવાની વ્યવસ્થા કરાઇ રહી છે. પ્રાઇવેટ સેકટરોમાં રસી અંગે કેન્દ્ર સરકારનો કોઇ દિશા-નિર્દેશ હાલ નથી. પણ રસીનો પુરતો સ્ટોક અપાઇ રહ્યો છે. બાળકો માટે પણ મલ્ટીસીસ્ટમ ઇંફલેમેટરી સીન્ડ્રોમ માટે અલગ યુનિટ તૈયાર રખાયા છે. ગઇ કાલે તેલંગાણામાં ૧,૫૧૧ નવા કેસ સામે આવેલ.

(1:00 pm IST)