Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

રામમંદિર જમીન કૌભાંડ મામલે હવે મનીષ સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ : કહ્યું બધા પેપર અમારી પાસે છે

2 કરોડની જમીન પાંચ મીનિટ પછી. 18.5 કરોડની થઈ ગઈ :ટ્રસ્ટના સભ્ય અને બીજેપી મેયર પર આરોપ

નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે એકઠો કરવામાં આવી રહેલા ચંદાને લઈએ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર કરોડોના કૌભાડનો આરોપ લગાવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંહથી લઈને સમાજવાદી પાર્ટી, ટીએમસી, કોંગ્રેસ અને અન્ય પાર્ટી પણ હવે આ બાબતેન ઉઠાવી રહી છે. આરોપ છે કે, ટ્રસ્ટે કરોડા રૂપિયાની જમીનનો કૌભાંડ કર્યો છે. આને લઈને એક વખત ફરીથી આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફ્રન્સ કરીને આખા કેસ વિશે વિગતે માહિતી આપી હતી.

દિલ્હીના ડિપ્ટી સીએમ સિસોદિયાએ કહ્યું કે, દેશની આસ્થા સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. તેમને કહ્યું કે, લોકો ભવ્ય મંદિર નિર્માણની રાહ જોઈ રહ્યાં છે. મંદિર બનાવવાની જવાબદારી શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટની છે. પરંતુ કેટલાક દિવસ પહેલા ટ્રસ્ટે 12080 વર્ગમીટર જમીન ખરીદી. જેને 18.5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી. તેના બધા પેપર અમારી પાસે છે.

તેમને જણાવ્યું, જમીનના દસ્તાવેજમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા એક સાક્ષી હતા, જ્યારે અયોધ્યાના મેયર અને બીજેપી નેતા ઋષિકેસ ઉપાધ્યાય બીજા સાક્ષી હતા. રામભક્તોને જમીન ખરીદવાની ખુશી હશે. કેમ કે તેના માટે બધાએ કંઈક ને કંઈક આપેલું છે. પરંતુ લોકોને દુ:ખ ત્યારે થાય છે કે, જ્યારે તેમને ખબર પડે છે કે જમીન ખરીદવામાં કૌભાંડ કરવામાં આવી રહ્યો છે. જમીન રવિ મોહન તિવારી અને સુલ્તાન અંસારી પાસેથી ટ્રસ્ટે ખરીદી પરંતુ તે દિવસે તેનાથી માત્ર પાંચ મીનિટ પહેલા સુલ્તાન અંસારી અને રવિ મોહન તિવારીએ આ જમીન હરીશ પાઠક અને કુસુમ પાઠક પાસેથી ખરીદી. તે જમીન માત્ર બે કરોડમાં ખરીદવામાં આવી હતી. તેના પાંચ મીનિટ પછી રવિ મોહન તિવારી અને સુલ્તાન અંસારીએ આ જમીન શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે 18.5 કરોડ રૂપિયામાં ખરીદી લીધી.

 

મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, જે જમીન હરીશ પાઠક અને કુસુમ પાઠક પાસેથી બે કરોડમાં ખરીદી હતી, તેમાં પણ અનિલ મિશ્રા અને અયોધ્યાના મેયર ઋષિકેસ ઉપાધ્યાય જ સાક્ષી હતા, તે પછી આ જમીન 18.5 કરોડમાં શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે ખરીદી તો આ બંને સાક્ષીના રૂપે હાજર રહ્યાં. તેમને કહ્યું કે, પહેલા અમને આ ડોક્યુમેન્ટ ફેક લાગ્યા અને તેમાં કોઈ ફર્જીવાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી. પરંતુ થોડા જ સમય પછી શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે પોતે જણાવ્યુ કે, તેમને આ જમીન ખરીદી છે. તેનાથી વધારે દુ:ખ થઈ રહ્યો છે. લોકો આસ્થાથી ચંદો આપી રહ્યાં છે, તેમના સાથે છેડછાડ કરવી યોગ્ય નથી.

આમ આદમી પાર્ટી ઉપરાંત અન્ય પક્ષો પણ આ મુદ્દાને ઉઠાવી રહ્યાં છે. કોંગ્રેસ નેતા અને પ્રવક્તા ગૌરવ વલ્લભે પણ એક ન્યૂઝ આર્ટિકલ શેર કરતા લખ્યું કે, ” દેતે હૈ ભગવાન કો ધોખા ઈન્સાન કો ક્યાં છોડેગે”

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ટીએમસી નેતા યશવંત સિન્હાએ પીએમ મોદી અને ટ્રસ્ટ પર ટ્વિટર દ્વારા હુમલો કર્યો. તેમને કહ્યું કે, રામનો સાથ મોદીનો વિશ્વાસ અને અમારો વિકાસ, હદ્દ જ થઈ ગઈ. રામને છોડ્યા નથી. હવે શું બચ્યું? મોદી છે તો મુમકિન છે.

(12:12 am IST)