Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

લોકડાઉનમાં ખરીદી કરવી બનશે સરળ, સ્વદેશી પ્રોડકટ અને ફ્રી હોમ ડિલેવરી લઈ આવશે પતંજલિ

નવી દિલ્હી, તા.૧૫: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકોને ખાદી ખરીદવાનો આગ્રહ અને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનું સમર્થન કર્યુ છે. હવે ગ્રાહકો માટે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ ભારતમાં બનતા ઉત્પાદનો અને સ્વદેશી વસ્તુઓની ખપત પુરી કરવા માટે એક વિશેષ ઇ-કોમર્સ પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં ફકત સ્વદેશી ઉત્પાદનો ખરીદી શકાશે.

ઇ કોમર્સ કંપની બ્શ્વફુફૂશ્વપ્ફૂ પર પતંજલિ હવે આયુર્વેદિક ઉત્પાદનોની સાથે સાથે સ્વદેશી ઉત્પાદન વેચશે. ખાસ વાત તો એ છે કે ઓર્ડર કરવાથી ફ્રી હોમડીલેવરી કરવામાં આવશે. આ સિવાય પતંજલિ ૧૫૦૦ ડોકટરો અને યોગની શિક્ષા માટે ૨૪ કલાક મફત સલાહ આપશે.

બાબા સામદેવની ઇ-કોમર્સ સાઇટ આગામી ૧૫ દિવસમાં માર્કેટમાં દસ્તક આપશે. કંપનીએ દાવો કર્યો છે કે આ વેબસાઇટ પર ઓર્ડર કરવામાં આવેલ સામાનને થોડા સમયમાં જ પહોંચાડવામાં આવશે.

આચાર્ય બાળકૃષ્ણએ આ મામલે પ્રકાશ પાડતા કહ્યું કે OrderMe પર ફકત અને ફકત સ્વદેશી વસ્તુઓ જ મળશે. જે પણ સામાનનો આર્ડર કરવામાં આવશે તેની ફ્રી હોમડીલેવરી કરવામાં આવશે. તેમણે જણાવ્યુ કે માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયા એન્ટરપ્રાઇઝને પણ આની સાથે જોડવામાં આવશે જે આ ઉત્પાદનોને આ પ્લેટફોર્મના માધ્યમથી વેચશે.

(3:42 pm IST)