Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

મુંબઈમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : નવા 992 કેસ નોંધાયા:વધુ 25 લોકોના મોત : મૃત્યુઆંક 621 થયો

મુંબઈમાં અત્યાર સુધીમાં 16738 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત

મુંબઈ :દેશમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ નોંધાયા છે તેમાં ખાસ કરીને મુંબઈમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે મુંબઈમાં છેલ્લાં 24 કલાકમાં મુંબઈ શહેરમાં કોરોના વાઈરસના 992 કેસ સામે આવ્યા છે. જ્યારે મુંબઈ શહેરમાં આ જ સમયગાળામાં 25 લોકોના કોરોનાના લીધે મોત થયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 16738 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા છે. જ્યારે 621 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો

(12:02 am IST)