Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

મંદિરમાં પૂજા વેળાએ શશી થરૂર ઘવાયા :માથામાં આઠ ટાંકા આવ્યા

સંતુલન ગુમાવતા માથા પર લોખંડનો સળીયો પડ્યો

નવી દિલ્હી :કોંગ્રેસ સાંસદ અને તિરુવનંતપુરમથી ઉમેદવાર શશિ થરૂર મંદિરમાં પૂજા દરમિયાન ઘાયલ થઈ ગયા છે.

   આ અંગે મળતા અહેવાલ મુજબ થમ્પ નૂરના ગાંધારી અમ્મન કોવિલમાં સંતુલન બગડ્યા બાદ થરૂરના માથા અને પગમાં ઈજાઓ થતા તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા . પ્રાથમિક તપાસ બાદ, તેમને તિરુવનંતપુરમની સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા, જ્યાં તેમના માથામાં આંઠ ટાંકા લેવા પડ્યા હતા .

    સ્થાનિક અખબાર માતૃભૂમિના અહેવાલ મુજબ થરૂરના માથા પર લોખંડનો એક સળિયો પડી ગયો, જેને કારણે તેમને ઈજા થઈ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે થરૂરના માથે 8 ટાંકા લેવા પડ્યા છે. હોસ્પિટલના અધિકારીઓ આપેલી જાણકારી મુજબ તેમની હાલત સ્થિર છે અને તેઓ ખતરાની બહાર છે. રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં થરૂરની કેટલાક અન્ય ટેસ્ટ કરવામાં આવશે 

(2:13 pm IST)