Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ઇપીએફના ૪૦ લાખ ખાતાધારકોને ઇન્ટરેટસ્ટ મળ્યાની ફરીયાદો તપાસ થતા કે.વાય.સી.માં ભુલ સામે આવી

અમદાવાદ :  કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ માટે પી.એફ. (પ્રોવીડન્ડ ફંડ) ના વ્યાજબી રકમ જમા કરવાની જાહેરાત દોઢ મહિલા પહેલા કરી હતી પરંતુ હજુ સુધી અનેક ખાતા ધારકોને તેમના ખાતામાં રકમ જમા જ ન થવાની ફરીયાદ તંત્રને પ્રાપ્ત થઇ હતી.


કેવાયસી ગડબડને કારણે પ્રથમ વર્ષ 2019-20માં જ વ્યાજની ચૂકવણીમાં વિલંબથી સંસ્થાની શાખ પર એક પ્રશ્નાર્થ ઉભો થયો છે. આ સાથે ફરી એકવાર દરેકની નજર ઇપીએફઓ પર છે.

આ અગાઉ પણ EPFOની કાર્યપ્રણાલી પર સવાલ ઉભા થયા હતા. PF સંગઠને 2020ના કોરોના મહામારીની શરૂઆતમાં અને લોકડાઉનમાં શેરબજારમાં મોટા કડાકા સમયે ઇક્વિટી રોકાણના વેચાણમાં વિલંબ કર્યો હતો અને તેના થકી જ વ્યાજ ચૂકવવાનું હતું. જોકે બાદમાં ઇપીએફઓએ કહ્યું હતું કે આ વ્યાજ 31 ડિસેમ્બર સુધીમાં જમા થઈ જશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે(Ministry of Labour and Employment) પણ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં તેની જાહેરાત કરી હતી.

એક અગ્રણી અખબાર Mintએ બે સરકારી અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે, 'નાણાકીય વર્ષ 2019-20 માટે લગભગ 8થી 10 ટકા ઇપીએફ ગ્રાહકોને વ્યાજ ચૂકવી શકાયું નથી. તેનું મુખ્ય કારણ છે કે EPFO વ્યકતિગત ધોરણે નહિ પરંતુ, સંસ્થા/કંપનીઓને આધારે વ્યાજની ચૂકવણી કરી છે.

સરળ શબ્દોમાં સમજાવીએ તો જો એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલ કેટલાક કર્મચારીઓના કેવાયસી ડેટામાં કોઈ ખામી હોય તો સંસ્થાના બધા જ કર્મચારીઓને વ્યાજ ચૂકવવામાં આવતું નથી. પ્રારંભિક અંદાજમાં લગભગ 40 લાખ સબ્સ્ક્રાઇબર્સને ઇપીએફ ખાતામાં વ્યાજ ચૂકવાયું નથી.

શ્રમ મંત્રાલય દ્વારા પણ આ વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. જોકે અધિકારીઓ ખાતરી કરી છે કે PF ખાતા ધારકોને ઉપાડમાં કોઈ મુશ્કેલી ન પડે. એક અંદાજ અનુસાર ઇપીએફઓમાં લગભગ 5 કરોડ સક્રિય સબ્સ્ક્રાઇબર્સ છે.

એક્સપર્ટસનું માનવું છે કે EPFO અન્ય સામાજિક સુરક્ષા સંસ્થાઓ કરતા વધુ કાર્યક્ષમ છે. જોકે અમુક કર્મચારીઓની કેવાયસી ભૂલ કે સમસ્યાને કારણે તમામ સબસ્ક્રાઈબર્સની વ્યાજની ચુકવણી રોકવી એ સંસ્થાની કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું કરે છે.

(9:47 pm IST)