Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

પંજાબના સંગરૂરમાં સ્કૂલવાનમાં ભીષણ આગ 4 વિદ્યાર્થીઓ ભડથું : વાલીઓમાં ભારે આક્રોશ

લોંગોવાલ સ્થિત સિમરન પબ્લિક સ્કૂલની વાન: 12 બાળકો પૈકી 8 બાળકોને બચાવી લેવાયા

પંજાબઃ પંજાબમાં સ્કૂલના બાળકો જ્યારે સ્કૂલમાંથી ઘરે જે વાનમાં તેઓ જઇ રહ્યાં હતા તે વાનમાં અચાનક આગ લાગી ગઇ હતી, જેમાં મુસાફરી કરી રહેલા 4 વિદ્યાર્થીઓનાં મોત નિપજ્યા હતા જયારે 9 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે આગની ઘટના બની ત્યારે સ્કૂલવાનમાં 10થી 12વર્ષની ઉંમરના 12 બાળકો સવાર હતા.

 આ અંગે મળતી વિગત મુજબ લોંગોવાલ સ્થિત સિમરન પબ્લિક સ્કૂલની વાન જ્યારે સળગી ઉઠી ત્યારે આસપાસ ખેતરોમાં કામ કરનારા લોકો અહી આવી પહોંચ્યાં હતા અને 8 વિદ્યાર્થીઓને કારમાંથી બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યાં હતા, જો કે 4 વિદ્યાર્થીઓ ગંભીર રીતે દાઝી જતા તેમના મોત થયા હતા આ ગોઝારી ઘટના બાદ મૃતક બાળકોના પરિવારમાં આક્રોશ ફેલાઇ ગયો છે, તેઓ શોકની લાગણીમાં ડૂબી ગયા છે, તેમને વિચાર્યું પણ નહીં હોય કે તેમના આ બાળકોનાં આવી રીતે મોત થઇ જશે, પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે, હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.

(8:22 pm IST)