Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

સીએએ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનમા ભાગ લેવા જામિયા પહોંચ્યા બોલીવુડ ડાયરેકટર અનુરાગ કશ્યપઃ બોલ્યા અહીં આવી લાગ્યું આપણે જીવતા છીએ

નાગરિકતા સંશોધન કાનુન (સીએએ) ને લઇ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા  બોલીવુડ ડાયરેકટર અનુરાગ કશ્યપ શુક્રવારના જામિયા પહોંચ્યા. અહી એમણે ખુલ્લા મનથી પોતાની વાત કરી એમણે કહ્યું  આપ આ રીતની સરકારથી ડીલ કરી રહ્યા છો જે પોતાનાથી અલગ ડીલ કરી રહી છે.

એમણે કહ્યું હું જામિયામા પ્રથમ વખત આવ્યો છું પહેલા લાગી રહ્યું હતુ કે આપણે મરી ગયા છીએ પણ અહીં આવી લાગ્યું કે આપણે જીવિત છીએ. એક આંદોલન જોઇ લાગે છે કે આપણે જીવિત છીએ. ઘેટા-બકરાની જેમ અંદર નથી જઇ શકતા. મારા માટે આ આંદોલન જામિયાથી શરૂ થયુ. આ લડાઇ ખૂબજ લાંબી છે આજકાલ આ ચૂંટણી સાથે ખતમ નહી થાય.

(10:02 pm IST)