Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ચીનમાં અભ્યાસ કરતા ભારતના 647 સ્ટુડન્ટ્સ વતનમાં પાછા આવી ગયા : હજુ પણ બાકી રહેતા 100 જેટલા સ્ટુડન્ટ્સની સરકારને આજીજી : અમને વહેલી તકે અહીંથી છોડાવો

હુબઈ :  ચીનમાંથી અત્યાર સુધીમાં 647 સ્ટુડન્ટ્સ ભારત આવી ગયા પછી પણ હજુ 80 થી 100 જેટલા સ્ટુડન્ટ્સ પરત આવવાની રાહ જોઈ રહ્યા છે.તેઓએ જણાવ્યા મુજબ યુનિવર્સીટીમાં હોસ્પિટલ શરૂ કરી દેવાતા રહેવાનો પ્રશ્ન ઉભો થયો છે.તેથી તેમણે વહેલી તકે છોડાવો તેવી ભારત સરકારને આજીજી કરી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના એક હજાર જેટલા સ્ટુડન્ટ્સ હજુ ચીનમાં છે.જેઓને પોતાના દેશમાં પાછા ફરી શકવા કોઈ જોગવાઈ થઇ નથી તેનો તેમને અસંતોષ છે.

(11:43 am IST)