Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

કેજરીવાલ-સીસોદીયા ટિકિટના બદલામાં કરોડો રૂપિયા માંગે છે : આપ ધારાસભ્યનો બળવો

 

નવી દિલ્હી: બાદરપુર આપના ધારાસભ્ય એન.ડી. શર્મા કહ્યું કે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ અને વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા પર જમીનદાર માફિયાના ચૂંટણી ટિકિટ આપવા બદલ 20 કરોડ રૂપિયા લેવાના આરોપ લગાવ્યો છે.

  તેમણે કહ્યું કે, પાર્ટી ધારાસભ્ય પાસેથી પૈસા માંગે છે. તેમણે (કેજરીવાલ) મને પણ 10 કરોડ રૂપિયા આપવાનું કહ્યું હતું. પણ હું ઈમાનદાર માનવી છું, મારી પાસે એવા કોઈ પૈસા નથી. આમ ટિકિટ જાહેર થતાં આપ પક્ષમાં બબાલ શરૂ થઈ ગઈ છે.

(8:32 am IST)