Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

બરફના વાવાઝોડાએ કાશ્મીરમાં વિનાશ વેર્યો : 24 કલાકમાં અનેક સ્થળોએ હિમપ્રપાતથી 9 લોકોનાં મોત: અનેક લાપતા

માર્યા ગયેલામાં આર્મીના ૪ જવાન અને ૫ નાગરિકો: ઘણા સૈનિકો અને નાગરિક ગુમ

શ્રીનગર : બરફના વાવાઝોડાએ કાશ્મીરમાં વિનાશ વેર્યો છે. છેલ્લા 24 કલાકમાં, અનેક સ્થળોએ હિમપ્રપાતથી 9 લોકોનાં મોત નિપજ્યાં છે. ઘણા ગુમ થયા છે. માર્યા ગયેલામાં આર્મીના ૪ જવાન અને ૫ નાગરિકો છે. ઘણા સૈનિકો અને નાગરિક ગુમ હોવાનું જણાવ્યા છે

  . સરહદને અડીને આવેલા વિસ્તારોમાં બરફ નો કહેર સર્જાયો છે. ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં 51 લોકોએ અને 2018 માં 47 લોકોનાં મોત નીપજ્યું હતું.કુપવાડામાં, એલઓસીને અડીને આવેલા મચ્છલ ક્ષેત્રમાં સીમા સુરક્ષા માં તૈનાત અનેક જવાનો હિમપ્રપાતની લપેટમાં આવી ગયેલા. બચાવ

ટીમ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં ત્રણ સૈનિકો શહીદ થયા હતા

(8:14 pm IST)