-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
હવે રેલવેતંત્રનું ખાનગીકરણ : 150 રૂટ ખાનગી કંપનીઓને આપી દેવાશે:કંપની નક્કી કરશે ભાડું
કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે અમલદારોને 150 એવા રૂટ તૈયાર કરવા સૂચન કર્યું

નવી દિલ્હી : ભારતીય રેલ્વે ઝડપથી ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે રેલ્વે મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી, જેમાં કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે અમલદારોને 150 એવા રૂટ તૈયાર કરવાનું કહ્યું હતું, જેના પર દુરંતો, તેજસ અને રાજધાની જેવી ટ્રેનો દોડે છે. ખાનગી કંપનીઓ આ રૂટો પર ટ્રેન ઓપરેટ કરશે. આમાંથી 30 ખાનગી ટ્રેનો મુંબઇથી મધ્ય અને પશ્ચિમ રેલ્વે ઉપર દોડશે. તેઓ મુંબઇ-અમદાવાદ અને દિલ્હી-લખનઉ તેજસ એક્સપ્રેસ ટ્રેનની પેટર્નથી સંચાલન કરશે.
આ બંને ટ્રેનોનું સંચાલન ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બેઠકમાં નવા માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી, જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ખાનગી ઓપરેટરો તેમના ભાડા અને તેના પર ઉપલબ્ધ ભોજન નક્કી કરશે. પેસેન્જરનો સામાન ઘરેથી લાવવાની સુવિધા આપવામાં આવશે.
આ ટ્રેનોને તેમના રૂટ પર અગ્રતા આપવામાં આવશે, જેથી તેઓ નિર્ધારિત કરતા વધુ મોડા સ્ટેશનો પર ન પહોંચે. રેલ્વે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે કહ્યું કે, 'આ 150 ટ્રેનો માટેની બિડિંગ પ્રક્રિયા આવતા મહિનાથી શરૂ થશે.
આ દેશમાં પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે, તેથી બોલી લગાવવામાં સમય લાગી શકે છે. આ સિસ્ટમનો ઉપયોગ વિશ્વમાં પહેલાથી કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર પ્રક્રિયા બે ભાગમાં પૂર્ણ થશે. પ્રથમ ખાનગી બિડરોને લાયકાત માટે બોલાવવામાં આવશે.