Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

મંદિર નિર્માણ માટે ૧ ઇંટ અને ૧૧ રૂપિયા આપોઃ યોગી

લખનૌ, તા.૧૪: ઉત્ત્।ર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે દરેક પરિવારને ૧૧ રૂપિયા અને એક ઇંટ આપવાની અપીલ કરી છે. ઝારખંડમાં ચૂંટણી સભાને સંબોધતા યોગી આદિત્યનાથે જણાવ્યું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનવાનું નિશ્યિત છે. આથી આ પુણ્ય કામ માટે ઝારખંડના દરેક દ્યરેથી સહયોગ મળે તે જરૂરી છે.

તેમણે કહ્યું કે રામ મંદિરનો ૫૦૦ વર્ષ જૂનો વિવાદ સમાપ્ત થઇ ચૂકયો છે. પીએમ મોદીના નેતૃત્વ હેઠળ દેશ માટે કલંક સમાન કલમ-૩૭૦ પણ રદ્દ થઇ ગઇ છે. વિપક્ષો કાગારોળ મચાવતા હતા કે રામ જન્મભૂમિ અંગે નિર્ણય આવ્યો તો દેશમાં હિંસા ફેલાઇ જશે. પરંતુ ચૂકાદો આવ્યા બાદ હજુ સુધી એક મચ્છર પણ નથી મર્યું. તેમણે કહ્યું કે રાષ્ટ્રહિત સાથે જોડાયેલા સરકારના દરેક નિર્ણયને કારણે વિપક્ષોને તકલીફ પડે છે.

(3:56 pm IST)