-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
વિવાદિત ઇસ્લામિક ઉપદેશક ઝાકીર નાઈકને માલદિવમાં નો એન્ટ્રી:પ્રવેશ આપવાની વિનંતી ફગાવી દીધી :મોહમ્મદ નશીદ

નવી દિલ્હી:વિવાદિત ઇસ્લામિક ઉપદેશક ઝાકીર નાઇક માલદિવ આવવા માંગે છે.પરંતું તેની આ વિનંતી આ ટાપુ દેશએ ફગાવી દીધી છે.
માલદિવની સંસદનાં સ્પિકર મોહમ્મદ નશીદે નવી દિલ્હીમાં જણાવ્યુ કે ઝાકીર નાઇક માલદિવ આવવા માંગે છે.પરંતું અમે તેની મંજુરી આપી નથી,નશીદ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી અને વિવિધ મુદ્દા પર ચર્ચા કરી છે.
ઝાકીર નાયક વિરૂધ્ધ ભારતમાં મની લોંન્ડરીંગનો કેસ ચાલે છે.તેના ઉપરાંત તેના વિરૂધ્ધ ઢાકા હુમલાનાં સંબંધમાં પણ ફરીયાદ નોંધાઇ છે.તેણે મલેશિયામાં છેલ્લા ત્રણ વર્ષોથી શરણ લીધી છે.ભારતને તેના પ્રત્યાર્પણની ઔપચારીક અપિલ કરી છે.પરંતું મલેશિયાએ અપિલ ફગાવી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સપ્ટેમ્બરમાં રશિયામાં યોજાયેલી 5મી પુર્વીય આર્થિક મંચની બેઠકમાં મલેશિયાનાં વડાપ્રધાન મહાતીર મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી અને નાઇકનાં પ્રત્યાર્પણ અંગે ચર્ચા થઇ હતી.જો કે બાદમાં મલેશિયાનાં વડાપ્રધાને આવી કોઇ ચર્ચા થઇ હોવાનો ઇન્કાર કર્યો હતો.