Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

લતા મંગેશકરની તબીયત અંગે ભારે અફવાઓ ફેલાઈઃ માંદગીવાળો ફોટો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા લતાજીએ જવાબ આપવો પડયો

મુંબઈઃ જાણીતા ગાયીકા લતા મંગેશકરની તબીયત અંગે ભારે અફવાઓ ફેલાતા અને તેમનો માંદગીવાળો ફોટો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા ખુદ લતા મંગેશકરને જવાબ આપવો પડયો છે.

હાલમાં સોશ્યલ મીડીયા ઉપર એવી અફવાઓ ફેલાય રહી છે કે જાણીતા ગાયીકા લતા મંગેશકર ખૂબ જ બિમાર છે અને તેમને મુંબઈની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અંગે લતા મંગેશકરે ટ્વીટ ઉપર જવાબ આપતા જણાવ્યુ હતુ કે નમસ્કાર, મારી તબીયત અંગે સોશ્યલ મીડીયામાં ભારે અફવાઓ ફેલાય રહી છે પરંતુ આવી અફવા ઉપર તમે વિશ્વાસ ન કરતા હું બિલકુલ સ્વસ્થ છું અને મારા પોતાના ઘરે જ છું અને હું કયારેય પણ ગાવાનુ નહિ છોડું, જીંદગીના છેલ્લા શ્વાસ સુધી ગાતી રહીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોલીવુડના સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર વારંવાર પોતાના ફેન્સ સાથે સોશ્યલ મિડીયા દ્વારા વાતચીત કરતા રહે છે.

(4:43 pm IST)