Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

૨૩ વર્ષ પહેલા દિલ્હીથી આવેલી અેક શીખાઉને અેક રાઇઝિંગ સ્ટારે જણાવ્યું હતું કે, મુંબઇમાં કેવી રીતે પગ જમાવવા જોઇઅે, કેટલીક અેવી ટિપ્સ જેનાથી તમે તમારા સપનાઓ પુરા કરી શકોઃ સૈફ અલી ખાને સ્‍મૃતિ ઇરાનીને સલાહ આપી હતી

મુંબઈ: તાજેતરમાં ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્નની મોટી હક્તીઓનો જમાવડો થયો હતો. પ્રસંગે એક્ટ્રેસમાંથી પોલિટિશિયન બનેલા સ્મૃતિ ઈરાની પણ પહોંચ્યા અને તેમણે દરમિયાન બોલિવુડ એક્ટર સૈફ અલી ખાનની સાથે એક સેલ્ફી પણ લીધી હતી.

સૈફએ સ્મૃતિને આપી હતી શું સલાહ?

પ્રસંગે કેન્દ્રીય ટેક્સટાઈલ મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીએ વાત પણ શેર કરી કે, 1995માં જ્યારે તેઓ દિલ્હીથી મુંબઈ આવ્યા હતા તો સૈફએ તેને શું સલાહ આપી હતી. પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસવીર શેર કરતા સ્મૃતિએ લખ્યું કે, ’23 વર્ષ પહેલા દિલ્હીથી આવેલી એક શીખાઉને એક રાઈઝિંગ સ્ટારે જણાવ્યું હતું કે, મુંબઈમાં કેવી રીતે પગ જમાવવા જોઈએ. કેટલીક એવી ટિપ્સ જેનાથી તમે તમારા સપનાને પૂરા કરવા માટે ફાઈટ કરી શકો. તેમને જાણ હતી કે, શીખાઉ એક દિવસ સ્ટાર બની શકે છે. યાદો માટે આભાર સૈફ અલી ખાન.’ થોડા વર્ષો બાદ સ્મૃતિનેક્યોંકી સાસ ભી કભી બહુ થીજેવી મોટી ટેલિવિઝન સીરિયલ મળી અને તે પછી તેઓ ઘર-ઘરની આદર્શ વહુ બની ગઈ.

સૈફ હવેતાનાજીમાં જોવા મળશે

વર્કફ્રન્ટની વાત કરીએ તો સૈફ છેલ્લે દિવંગત વિનોદ મહેરના પુત્ર રાહુલ મહેરાની સાથે ફિલ્મબાઝારમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં તેની સાથે રાધિકા આપ્ટે અને ચિત્રાંગદા સિંહ પણ જોવા મળી હતી. હવે, સૈફ પોતાની આગામી ફિલ્મતાનાજીમાં જોવા મળશે. ફિલ્મમાં અજય દેવગણ, તાનાજીના રોલમાં છે, જ્યારે સૈફ, ઉદયભાન રાઠોડના પાત્રમાં જોવા મળશે.

(4:34 pm IST)