Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

જયલલિતાની ભત્રીજી દીપાએ પૂછપરજ દરમ્યાન દાવો કર્યો કે જયલલિતા પર હુમલો થયો હોય શકે છે!

નવી દિલ્હી : 2016 માં તમિળનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. જયલલિતાના મૃત્યુ અંગેની તપાસ કરી રહેલા એક માણસની પેનલ સમક્ષ સ્વ. જયલલિતાની ભત્રીજી દીપાએ બુધવારે પૂછપરજ દરમ્યાન આક્ષેપ કર્યો હતો કે તેમના કાકી સ્વ. જયલલિતા સ્વસ્થ થઈ ગયા હતા, એમને કોઈ તકલીફ ન હતી અને તેમના પર હોસ્પિટલમાં હુમલો થયો હોય શકે છે. દીપાએ વધુમાં ઉમેર્યું હતું કે જેલમાં રહેલા એઆઇએડીએમકેના નેતા શશીકલાના પરિવારના સભ્યોની આ બારામાં પૂછપરજ થવી જોઇએ, તો ઘણા સત્યો બહાર આવી શકે છે.

(9:44 pm IST)