Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

"બધા દલિતોએ બૌદ્ધ ધર્મને અપનાવી લેવું જોઇએ" : કેન્દ્રીય મંત્રી આઠવલેએ કર્યું વિવાદાસ્પદ નિવેદન

નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ બુધવારે જણાવ્યું હતું કે તમામ દલિતોએ હિન્દુવાદ છોડી દેવું જોઈએ અને તેમના વિરુદ્ધના દમનને રોકવા માટે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરવો જોઈએ.

"જ્યારે બાબાસાહેબ આંબેડકરને ખાતરી થઈ કે દલિતોને હિંદુ ધર્મમાં ન્યાય નહીં મળે, ત્યારે તેઓએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો"  એમ મંત્રી આઠવલેએ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે બસપાના વડા માયાવતીને વારંવારના ધમકીઓને બદલે બૌદ્ધ ધર્મમાં રૂપાંતરિત થવું જોઈએ.

(9:23 pm IST)