Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

નેધરલેન્ડના રાજા પાંચ દિવસીય ભારત પ્રવાસેઃ ઉષ્માભર્યુ સ્વાગત

નવી દિલ્હી,તા.૧૪: નેધરલેન્ડના રાજા વિલીયમ એલેકસઝાંડર અને કવીન મેકસીમા આજથી પાંચ દિવસીય ભારત પ્રવાસે દીલ્હી આવી પહોંચ્યા હતા. તેમણે સૌ પ્રથમ રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. નેધરલેન્ડના રાજાનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ  રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. મુલાકાત દરમિયાન બન્ને દેશોના વડાઓ વચ્ચે વેપાર અને રાજકીય બાબતો ઉપર ચર્ચા થઈ હતી.

(3:48 pm IST)