Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

આસિફખાનમાંથી બન્યો જ્યોતિષાચાર્ય આશુ મહારાજ: બળાત્કાર કેસમાં ધરપકડ: દિલ્હીમાં કરોડોની પ્રોપર્ટી

20 વર્ષ [પહેલા પિતાએ ઘરમાંથી કાઢી મુક્યો હતો ;ગાઝીયાબાદની મહિલાએ યૌન ઉત્પીડનનો કેસ કર્યો દાખલ

 

નવી દિલ્હી :દુષ્કર્મના આરોપ બાદ દિલ્હીની ક્રાઈમ બ્રાંચની ટીમે આશુ મહારાજને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચે આશુ મહારાજને શાહદરા વિસ્તારમાંથી ઝડપી લીધો છે,પોલીસે હૌજખાસ સ્ટેશનમાં તેની પૂછપરછ શરૂ કરી છે. ગાજિયાબાદની એક મહિલાએ આશુ મહારાજ ઉર્ફ આસિફ ખાન વિરૂદ્ધ યૌન ઉત્પીડનનો કેસ દાખલ કર્યો હતો. પોલીસને તપાસમાં  જાણવા મળ્યું કે, જ્યોતિષાચાર્યના નામે લોકોને ધૂતતો આશુ મહારાજનું અસલી નામ આસિફ ખાન છે.

  ઢોગી બાબાને તેના પિતાએ 20 વર્ષ પહેલા ઘરમાંથી ટાઝી મુક્યો હતો. જે બાદ તે જ્યોતિષનું કામ કરી લોકો પાસેથી પૈસા પડાવતો હતો. આશુ મહારાજ પાસે દિલ્હીમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી હોવાનો પણ ખુસાલો કરવામાં આવ્યો છે. ગત્ત દિવસે પોલીસે આશુ મહારાજના આશ્રમમાં પોલીસે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. અને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા.

(12:00 am IST)