Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ઇન્‍ટરનેશનલ લીડરશીપ સમીટ એડવાઇઝરી બોર્ડમાં ઇન્‍ડિયન અમેરિકન ડો. સંપટ એસ.શિવાંગીને સ્‍થાનઃ યુ.એસ.યુ.કે. તથા ઇઝરાઇલના નેતાઓ વચ્‍ચેના સંબંધો વધુ મજબુત બનાવવા યોગદાન આપશે

વોશીંગ્‍ટનઃ ઇન્‍ટરનેશનલ લીડર્સ સમીટના લીડરશીપ ગૃપએ ૩૦ ઓગ.ના રોજ જાહેર કર્યા મુજબ સમીટના એકઝીકયુટીવ એડવાઇઝરી બોર્ડમાં ડો.સંપટ એસ. શિવાંગીનો સમાવેશ કરાયો છે.

૨૦૦૪ની સાલમાં સ્‍થપાયેલી આ સમિટ દ્વારા સંગઠન થકી શાંતિ, આર્થિક સ્‍વતંત્રતા તેમજ કાયદાના પાલન માટે કેબિનેટ મેમ્‍બર્સ, રાજદૂતો, યુ.એસ. કોંગ્રેસના પ્રતિનિધિઓ તેમજ યુરોપીઅન પાર્લામેન્‍ટને પ્રોત્‍સાહિત કરાય છે તથા યુ.એસ. યુ.કે. અને ઇઝરાઇલના નેતાઓ વચ્‍ચેના સંબંધો વધુ મજબુત બને તે માટે પ્રયત્‍ન કરવામાં આવે છે.

આ લીડરશીપ ગૃપના એડવાઇઝરી બોર્ડમાં સ્‍થાન મળવા બદલ ડો.સંપટએ ખુશી વ્‍યક્‍ત કરી હતી. તથા બોર્ડના મિશનને પાર પાડવા પ્રયત્‍ન કરવાની બાંહેધરી આપી હતી. 

(10:05 pm IST)