Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

ભારત અહિંસાનો પૂજારી છે, દુર્બલતાનો પૂજારી નથીઃ ભારત વિવિધતાઓથી ભરેલો દેશઃ RSS પ્રમુખ મોહન ભાગવત

અખંડ ભારતની વાત કરીએ છીએ તો લોકો ડરી જાય છે. બોલે છે ક્યારે થશે. જ્યારે ડરવાનું છોડી દેશો. ત્યારે અખંડ ભારત થશેઃ ભાગવત

નવી દિલ્‍હીઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે આજે નાગપુરમાં મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આપણો દેશ ભારતમાં વિવિધાતાઓથી ભરેલો છે.

આપણી તરફ આખી દુનિયાની નજર છે. તેમણે આગળ કહ્યું કે, ભારતને ભારત તરીકે મોટો બનાવાનો છે. અમેરિકા આખી દુનિયામાં પોતાનો ડંડો ચલાવે છે. ચીન પોતાનું સામર્થ્ય્નો વિસ્તાર કરવાની કોશિશમાં રહે છે.

ભાગવતે કહ્યું કે, આપણે જ આ જાત-પાતની ખાડી બનાવી છે. નાના અહંકારનું ષડયંત્ર કરીએ છીએ, તેમણે કહ્યું કે વિશ્વ વિવિધતાના સંચાલન માટે ભારત તરફ જુએ છે. ભાગવતે કહ્યું કે ટાટા પાછળ વિવેકાનંદ પ્રેરણા હતા. ચીનમાં શક્તિનું થો઼ડુ અવતરણ થયું, આપણે જોઈ શકીએ છીએ કે તે વિશ્વમાં શું કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે, ભારત અહિંસાનો પૂજારી છે, દુર્બલતાનો પૂજારી નથી. તેમણે કહ્યું કે, અખંડ ભારતની વાત કરીએ છીએ તો લોકો ડરી જાય છે. બોલે છે ક્યારે થશે. જ્યારે ડરવાનું છોડી દેશો. ત્યારે અખંડ ભારત થશે.

તેમણે કહ્યુ કે, આપણે આ દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવું પડે છે. ત્યાર બાદ પણ રસ્તાની બંને તરફ કચરો ફેલાયેલો હોય છે. સમસ્યા આવે તો ફરિયાદ કરીએ છીએ, પણ તેના માટે બસો શું કામ સળગાવવાની. આપણે આપણી વાત કરવા માટે દુશ્મનોને સામે શા માટે રાખીએ છીએ.

(1:55 pm IST)