Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

પાકિસ્તાનમાં સુરંગમાં વિસ્ફોટ થતા 3 લોકોના મોત: 5 લોકો ઇજાગ્રસ્ત

પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં લેન્ડમાઈન બ્લાસ્ટ

પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા અને પાંચ અન્ય ઘાયલ થયા. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટના ઉત્તર વજીરિસ્તાનના મીર અલી તહસીલ વિસ્તારમાં બની હતી. તેમણે કહ્યું કે એક બાઇક લેન્ડમાઇન સાથે અથડાઈ, જેના કારણે ટુ-વ્હીલર પર સવાર લોકો માર્યા ગયા હતા .

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “એક જ બાઇક પર સવાર ત્રણ આદિવાસી યુવકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. વિસ્ફોટના સ્થળે હાજર અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા.” વિસ્ફોટ પછી, સુરક્ષા દળોએ વિસ્તારને સીલ કરી દીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પોલીસે જણાવ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.ઘાયલ થયેલા લોકોને સત્વરે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(10:47 pm IST)