Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

યુપીમાં રસ્તામાં નમાજ અને આરતી કરવા પર પ્રતિબંધ મુકાશે :રાજનીતિક રંગ નહિ આપવા મૌલાનાની અપીલ

રસ્તા પર વગર મંજૂરીએ કોઇપણ પ્રકારના ધાર્મિક આયોજન કરી નહીં શકાય.

 

ઉત્તરપ્રદેશના ડીજીપી ઓપી સિંહે  મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે રસ્તા પર નમાજ અને આરતીને લઇને અલીગઢ અને મેરઠના નિયમો લાગુ કરશે. સાર્વજનિક સ્થળો પર આવું કરવાનો પ્રતિબંધ લાગશે. જાહેરમાં નમાજ અને આરતીથી લોકોને મુશ્કેલીઓ પડે છે. તો 15મી ઓગસ્ટને ધ્યાને રાખી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  તાજેતરમાં ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લા પ્રશાસને રોડ પર કોઇપણ પ્રકારના ધાર્મિક આયોજન પર રોક લગાવી દીધી છે. હવે અલીગઢના રસ્તા પર તો નમાજ પઢવામાં આવશે અને તો આરતી અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે. જો કે ઇદ પર નમાજ પઢવાને લઇને પ્રકારનો પ્રતિબંધ નહીં લાગે.

  સંબંધમાં અલીગઢના જિલ્લા મેજિસ્ટ્રેટ સીબી સિંહનું કહેવું છે કે જિલ્લાના રસ્તા પર વગર મંજૂરીએ કોઇપણ પ્રકારના ધાર્મિક આયોજન કરી નહીં શકાય. તેઓએ કહ્યું કે મે એવા લોકો સાથે વાત કરી છે જેઓ પ્રકારનું આયોજન કરે છે. આવા આયોજનથી કાયદાવ્યવસ્થાની સ્થિતિ પર અસર પડી શકે છે

   તંત્રના નિર્દેશ બાદ મુસ્લિમ ધર્મગુરુ મૌલાના ખાલિદ રશીદ ફિરંગીએ લોકોને અપીલ કરી છે કે મુદ્દાને રાજનીતિક રંગ આપવામાં આવે. અન્ય ધર્મો સાથે પણ આવું થાય છે જ્યારે મંદિરોમાં લોકોની સંખ્યા વધુ થાય છે તો લોકો બહાર ઉભા રહીને પ્રાર્થના કરે છે.

(12:00 am IST)