Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

બિહારમાં ધોળા દિવસે રાજકિય નેતાનું ખુન

વૈશાલી તા.૧૪: રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)ના નેતા મનીષ સહાનીનું ગોળી મારીને ખુન કરવામાં આવ્યું હતું. ખુનીઓએ વૈશાલી જિલ્લામાં આવેલ તેમની આફીસમાં ઘુસીને તેને ગોળી મારી હતી. હુમલાખોરો હજી સુધી પકડાયા નથી. ઘટનાની નિંદા કરતા પક્ષ પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ ટ્વીટ કરીને નીતિશકુમારની સરકાર પર આરોપ લગાવીને કહયું કે ''નીતિશકુમારજી, કેટલી લાશો જોયા પછી, સરકાર ભાનમાં આવશે?''

આ ઘટના વૈશાલી જિલ્લાના જન્દાહા પ્રખંડ પરીસરની છે. મનીષ હાલમાંજ પ્રખંડ પ્રમુખ જાહેર થયા હતા. પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ ઘટના સોમવારે બપોરે બની હતી. ઘટનાને અંજામ આપીને હત્યારાઓ ફરાર થઇ ગયા હતા. પોલીસ ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ચેક કરી રહી છે.

(3:18 pm IST)