Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

સંસદ સભ્યનો પુત્ર યોૈન અપરાધમાં ગિરફતાર : કોલેજની ૧૨ વિદ્યાર્થીનીઓ દ્વારા ગંભીર આરોપ

હૈદ્રાબાદ તા.૧૪: ટીઆરએસ સાંસદ ડી.શ્રીનિવાસના પુત્ર સંજયને પોતાની કોલેજની ૧૨ વિદ્યાર્થીનીઓના યોૈન ઉત્પીડનના આરોપમાં સોમવારે પોલીસે ગિરફતાર કર્યો હતો. પોલીસે આરોપીને સ્થાનિક અદાલતમાં હાજર કર્યોં હતો, જયાંથી તેને ૨૪ ઓગષ્ટ સુધી જયુડીશ્યલ કસ્ટડીમાં સોંપાયો હતો.પોલીસ અનુસાર સંજય નિજામાબાદની એક કોલેજમાં ભણે છે. ત્યાંજ ભણતી બીએસસીની ૧૨ વિદ્યાર્થીનીઓએ તેના પર યોૈન ઉત્પીડન અને કોલેજ સંકૂલમાં ઘણીવાર દૂૂર્વ્યવ્હાર કરવાનો આરોપ મુકયો હતો.

વિદ્યાર્થીનોઓએ આ બાબતની ફરિયાદ રાજયના ગૃહપ્રધાન નયની નરસિંહાને પણ કરી હતી. પોલીસે આઇપીસીની અલગ-અલગ કલમો હેઠળ સંજય સામે કેસ દાખલ કર્યોં હતો, ત્યાર પછી તેણે હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.

કોર્ટે તે અરજી રદ કરી હતી, પછી તે સોમવારે નિઝામાબાદના સહાયક પોલીસ આયુકત સમક્ષ હાજર થયો હતો, ત્યાર પછી તેની ધરપકડ કરી લેવાઇ હતી.

(1:01 pm IST)