Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

યુપી:લોખંડના સળીયાથી મારીને મંદિરના પુજારીની કરપીણ હત્યા

 

લખનૌ :ઉત્તર પ્રદેશના સુલતાનપુરના મંદિરના પુજારીની શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે હત્યારાઓએ લોખંડના સળીયાથી મારી મારીને પુજારીની હત્યા કરી હતી ફરમિયાન એવું માનવામાં આવે છે કે ચોરીના હેતુથી તેની હત્યા થઈ છે. જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે મંદિરની દાનપેટી તૂટેલી પડી હતી. પોલીસ માને છે કે પુજારીએ લૂંટારાઓને મંદિર લૂંટતા અટકાવ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી .

 

(12:00 am IST)