Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ડીએમકેના પ્રમુખ એન. કરૂણાનીધીના નિધન બાદ પાર્ટીની કમાન સંભાળવા માટે બંન્ને પુત્રો વચ્ચે સત્તા સંઘર્ષના મંડાણઃ મોટા પુત્ર અલ્લાગીરીને કેટલાક વર્ષો પહેલા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને ત્યારથી તે રાજનીતીમાંથી બહાર છે

નવી દિલ્હીઃ ડીએમકેના પ્રમુખ એન.કરૂણાનીધીના અવસાન બાદ બંન્ને પુત્રો વચ્ચે સતા માટે સંઘર્ષ શરૂ થયો છે અને પાર્ટીની કમાન સંભાળવા માટે બંન્ને પુત્રો અલ્લાગીરી અને સ્ટાલીન વચ્ચે રાજકીય લડાઇ શરૂ થઇ છે.

ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે વાતચીત કરતાં કરૂણાનિધિના મોટા પુત્ર એમ કે અલાગિરીએ પાર્ટી પર પોતાની દાવેદારી રજૂ કરી હતી. સોમવારે કરૂણાનિધિના સમાધિ સ્થળે આવી પહોંચેલા અલાગિરીએ કહ્યું કે, પિતા સાચું કહેતા હતા સમગ્ર પરિવાર મારી સાથે છે. તામિલનાડુંમાં પાર્ટીના તમામ સમર્થકો મારી પાસે છે. એ તમામ મને જ પ્રોત્સાહિત કરી રહ્યા છે. સમય જ બતાવશે કે હું છું કહેવા ઇચ્છી રહ્યો છું.

અહીં મહત્વની બાબત એ છે કે, કરૂણાનિધિના મોટા પુત્ર અલાગિરીને કેટલાક વર્ષો પહેલા પાર્ટીથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને ત્યારથી તે રાજનીતિમાંથી બહાર છે. અંદાજે એક વર્ષ પહેલા એનો નાનો ભાઇ અને કરૂણાનિધિના નાના પુત્ર સ્ટાલિને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

પિતાના મોત સાથે જ બે પુત્રો પાર્ટી પર પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છએ. અલાગિરીએ પોતાને કરૂણાનિધિના રાજકીય વારસ તરીકે ગણાવ્યા છે. તેમણે સ્ટાલિનને કાર્યકારી અધ્યક્ષ બનાવવાના નિર્ણય સામે પણ સવાલ ઉઠાવ્યા છે. એવામાં કહેવાઇ રહ્યું છે કે આવનારા કેટલાક દિવસોમાં સત્તાને લઇને પરિવારમાં સંઘર્ષ વધુ ગાઢ બની શકે એમ છે. જોકે બધાની નજર મંગળવારે થનારી ડીએમકે પાર્ટીની બેઠક પર મંડાઇ છે.

કરૂણાનિધિના બંને પુત્રો એમ કે અલાગિરી અને એમ કે સ્ટાલિન વચ્ચે ઘણા વર્ષોથી સત્તા માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. અલાગિરી યૂપીએ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે અને એમને 2014માં પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ઉત્તરાધિકાર સંઘર્ષ ચરમસીમાએ ઉઠવા પામ્યો છે. અલાગિરીએ એક વખતે સવાલ ઉઠાવ્યો હતો કે શું ડીએમકે એક મઠ છે જ્યાં મહંત પોતાના ઉત્તરાધિકારી પસંદ કરે છે. એમનો ઇશારો પોતાના પિતા તરફ જ હતો.

(6:13 pm IST)