Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

આજે શું થશે? જબરી ચર્ચા

રાહુલ, પ્રિયંકા, ચિદમ્બરમ વગેરે નેતાઓએ ફોન કર્યાઃ પણ પાયલટ માન્યા નહીં

નવી દિલ્હી, તા.૧૪: રાજસ્થાનમાં સચિન પાયલટના બળવાથી કોંગ્રેસ હાઈકમાન્ડ દબાણમાં લાગી રહ્યું છે. સતત પ્રયાસો કરવા છતાં સચિન પાયલટ પોતાની વાત બદલવા તૈયાર નથી. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે ત્રણ સભ્યોની ટીમ જયપુર મોકલવામાં આવી છે. રણદીપ સુરજેવાલાએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે આજે પણ ધારાસભ્યોની બેઠક થશે. આ પહેલા સચિન પાયલટને મનાવવા માટે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ ફોન કરીને મનાવવાની કોશિશ કરી પરંતુ તેઓ માનવા માટે તૈયાર નથી દેખાઈ રહ્યા.

સચિન પાયલટના બળવાના કારણે સંકટમાં મૂકાયેલી ગેહલોત સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. આ બેઠકમાં પાયલટના સમર્થક ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રો જણાવે છે કે પાયલટ પોતાના મુદ્દાથી હટવા નથી માગતા. એક કોંગ્રેસના નેતાએ એમ પણ જણાવ્યું કે, સચિન પાયલટ પોતે ગેહલોત સામે ઉઠાવેલા મુદ્દાઓ પર સ્પષ્ટ જવાબ ઈચ્છે છે. ગઈકાલે આખો દિવસ પાયલટને મનાવવાની કોશિશો કરવામાં આવી જોકે, તેઓ માનવા માટે તૈયાર નથી. સચિનને રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા કે સિવાય પી. ચિદમ્બરમ અને કેસી વેણુગોપાલ દ્વારા પણ ફોન કરવામાં આવ્યો અને તેમને સમજાવવાની સાથે જયપુર પરત જવા માટે પણ કહ્યું.

કોંગ્રેસના વિરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંદ્યવીએ આ મુદ્દા પર વાત કરતા જણાવ્યું કે, હું સચિન પાયલટને દ્યણાં જ પ્રતિભાવાન, યોગ્ય અને પ્રભાવી કોંગ્રેસી માનુ છું. તેઓ મિત્ર પણ છે. અમે બધા પાર્ટીમાં તેમની કદર કરીએ છીએ. તેમણે આપીને પોતાની ફરિયાદ જણાવવી જોઈએ. તેમની પાસે સંપૂર્ણ અવકાશ છે. તમામ લોકો તેમને સાંભળવા માટે તૈયાર છે. બીજી તરફ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, જો કોઈની સાથે મતભેદ છે તો તે અંગે ખુલ્લા મને બોલવું જોઈએ. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દરેકને સાંભળવા અને સમાધાન કાઢવા માટે તૈયાર છે.

(12:44 pm IST)