Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૯ લાખ ઉપરઃ કુલ મૃત્યુ ર૩૭ર૭

ર૪ કલાકમાં પપ૩ લોકોના મોતઃ ર૮૪૯૮ નવા કેસ

નવી દિલ્હી તા. ૧૪ :.. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આજે જારી આંકડા અનુસાર છેલ્લા ર૪ કલાકમાં ર૮૪૯૮ નવા કેસ સામે આવ્યા છે અને પપ૩ લોકોના મોત થયા છે.

આ સાથે દેશભરમાં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૯,૦૬,૭પર ની થઇ છે. જેમાંથી ૩,૧૧,પ૬પ સક્રિય છે. અત્યાર સુધીમાં પ,૭૧,૪૬૦ લોકો સાજા થયા છે કે રજા અપાઇ છે.

દેશમાં અત્યાર સુધીમાં ર૩૭ર૭ લોકોને કોરોના ભરખી ગયો છે.

દેશમાં ૧૩ જૂલાઇ સુધીમાં ૧,ર૦,૯ર,પ૦૩ નમુનાનુ પરિક્ષણ કરાયું છે.

જેમાંથી ર૪ કલાકમાં ર,૮૬,ર૪૭ નમુનાનું પરિક્ષણ છેલ્લા ર૪ કલાકમાં થયું છે.

(11:08 am IST)