Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

જાણો શું છે શિરડીમાં સાંઈબાબાના પ્રકટ થવાનું કારણ

શિરડીના સાંઈ બાબા મંદિરમાં 10 જુલાઈને મંગળવારે સાંઈબાબાની તસ્વીર ઉપસી આવી હોવાની વાત સાંભળતા મોટી સંખ્યામાં લોકો મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. પરિણામે મંદિરના કપાટ રાત્રે પણ ખુલ્લા રખાયા હતા. જો કે આ પહેલા 2012માં પણ આવો ચમત્કાર થયો હતો. હકીકતમાં મંદિરમાં પ્રકાશની એવી વ્યવસ્થા છે. જેથી ક્યારેક એવુ લાગે છે કે દિવાલ પર સાંઈબાબા પ્રગટ્યા હોય.  

(12:39 pm IST)