Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

શતાબ્દી ટ્રેનોની જગ્યા લેશે આ એન્જિન વગરની ટ્રેન

ભારતીય રેલવે બહુ જલદી પોતાની હાઇસ્પીડવાળી એન્જિન રહિત ટ્રેન T-18 પાટાઓ પર ઉતરવા જઇ રહી છે : લોકો એન્જિન વગરની આ ટ્રેનનું નિર્માણ ચેન્નાઇની કોચ ફેકટરીમાં કરવામાં આવી રહ્યું છે

નવી દિલ્હી તા. ૧૪ : ભારતીય રેલવે બહુ જલદી પોતાની હાઈ સ્પીડવાળી એન્જિન રહિત ટ્રેન T-18 પાટાઓ પર ઉતરવા જઈ રહી છે. લોકો એન્જિન વગરની આ ટ્રેનનું નિર્માણ ચેન્નાઈની કોચ ફેકટરીમાં કરવામાં આવી રહ્યું છે. રેલવે નેકસ્ટ જનરેશનની આ ટ્રેનને ૨૦૧૮માં લોન્ચ કરવા જઈ રહી છે. આથી આ ટ્રેનનું નામ T-18 રાખવામાં આવ્યું છે. ખાસ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલી આ ટ્રેન T-18 પાટા પર ઉતર્યા બાદ મુસાફરોને એક નવો અનુભવનો અહેસાસ થશે, તથા આ ટ્રેન ભારતીય રેલવેને નવી ઊંચાઈઓ પર લઈ જશે. કોચ ફેકટરીના જનરલ મેનેજર સુધાંશુ મનીના જણાવ્યાં મુજબ સ્વયંસંચાલિત સેમી સ્પીડવાળી ટ્રેન T-18ની ડિઝાઈન કઈક એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જેના દ્વારા આ ટ્રેનને ૧૬૦ કિમી પ્રતિ કલાકની સ્પીડથી દોડાવી શકાય. T-18ના સફળ પરીક્ષણ બાદ ભવિષ્યમાં શતાબ્દી ટ્રેનોને તેની સાથે રિપ્લેસ કરવાની યોજના છે. તેમણે જણાવ્યું કે હમણા સુધી આ ટ્રેનને જુલાઈ ૨૦૧૮ સુધી પરિચાલનમાં લાવવાની યોજના હતી પરંતુ કેટલીક સમસ્યાઓના પગલે આ તારીખને બદલવામાં આવી છે. હવે આ ટ્રેનને સપ્ટેમ્બર ૨૦૧૮માં પરિચાલન માટે ટ્રેક પર ઉતારવામાં આવશે.

ચેન્નાઈ સ્થિત ઈન્ટ્રેગરલ કોચ ફેકટરીમાં તૈયાર T-18 ટ્રેન સંપૂર્ણ રીતે મેક ઈન ઈન્ડિયા છે. વિદેશોથી આયાત કરવામાં આવતી સમાન ટેકનોલોજીવાળી ટ્રેનની કિંમતથી T-18 ટ્રેનની કિંમત લગભગ અડધી છે. ફેકટરીથી નિકળનારી પહેલી T-18માં ૧૬ એકિઝકયુટિવ અને નોન એકિઝકયુટિવ કોચ હશે. પ્રત્યેક ટ્રેનમાં ૨ એકિઝકયુટિવ અને ૧૪ નોન એકિઝકયુટિવ કલાસ કોચ હશે.

એકિઝકયુટિવ કલાસના કોચમાં વધુમાં વધુ ૫૬ મુસાફરોની બેસવાની વ્યવસ્થા હશે. જયારે નોન એકિઝકયુટિવ કલાસમાં વધુમાં વધુ ૭૮ મુસાફરો બેસી શકશે.

આ ટ્રેનના તમામ કોચને સ્ટેનલેસ સ્ટીલથી તૈયાર કરવામાં આવ્યાં છે. આ ટ્રેનની ટેસ્ટિંગ લગભગ ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપમાં કરવામાં આવી છે. ટ્રેનમાં બારીઓ માટે સિંગલ ગ્લાસ પેનલ લગાવવામાં આવી છે. સંપૂર્ણ રીતે એસી ટ્રેનમાં ખુબ આરામદાયક સીટો લગાવવાની સાથે સાથે સારા ઈન્ટિરિયર લાઈટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેનમાં મુસાફરોને વાઈફાઈની સાથે સાથે ઈન્ફોટેન્મેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત આ ટ્રેનમાં જીપીએસ આધારિત પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

T-18માં ઓટોમેટિક દરવાજાની સાથે સ્લાઈડિંગ સીડીઓ પણ લગાવવામાં આવી છે. સ્ટેશનમાં ટ્રેન પહોચ્યા બાદ આ સીડીઓને ખોલવામાં આવશે. જેનાથી મુસાફરો સરળતાથી ડિબોર્ડ અને બોર્ડ થઈ શકે. આ ટ્રેનમાં, ઓટોમેટિક ઈન્ટરકનેકિટંગ ડોર પણ લગાવવામાં આવ્યાં છે. જેનાથી ટ્રેનની અંદરના ક્ષેત્રને અવરજવર માટે સુવિધાજનક દર્શાવવા વધારાની જગ્યા ઉપલબ્ધ કરાવી શકાય. આ ટ્રેનમાં ઝીરો ડિસ્ચાર્જ બાયો વેકયુમ ટોયલેટ અને ટચ ફ્રી બાથરૂમ પણ લગાવવામાં આવ્યાં છે. આ સાથે જ ટ્રેનના લગેજ રેકને વધારાની જગ્યા અપાઈ છે. ટ્રેનમાં વ્હીલચેર પાર્ક કરવાની જગ્યા પણ ઉપલબ્ધ કરાઈ છે.

કોચ ફેકટરીના જનરલ મેનેજર સુધાંશુ મનીના જણાવ્યાં મુજબ ૧૬ કોચવાળી ટી-૧૮ ટ્રેનને ફેકટરીથી સપ્ટેમ્બર ૨૦૧૮માં ટ્રેક પર ઉતારવામાં આવશે. એવી આશા વ્યકત કરાઈ રહી છે કે ટી-૨૦ ટ્રેનનું કોમર્શિયલ ઓપરેશન નવેમ્બર ૨૦૧૮માં શરૂ કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે ફેકટરીમાંથી નિકળ્યા બાદ ટ્રેનની RDSO અને CRS દ્વારા ફાઈનલ ટેસ્ટિંગ કરવામાં આવશે. RDSO અને CRS માંથી કિલયરન્સ મળતા જ આ ટ્રેનોનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરી દેવામાં આવશે. ત્યારબાદ આ ટ્રેનોને તેજસ અને શતાબ્દી સાથે રિપ્લેસ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એવી સંભાવના વ્યકત કરાઈ રહી છે કે ટ્રેનોનું ભાડુ, હાલની શતાબ્દી ટ્રેનોના ભાડા કરતા વધુ હોઈ શકે છે. (૨૧.૮)

(11:40 am IST)