Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

આજે ૧૪ જૂનનાં સુશાંતનાં નિધનને એક વર્ષ થઇ ગયું

સુશાંતની પહેલી પુણ્યતિથિ પર અંકિતા લોખંડેએ કર્યો હવનઃ એકટર માટે પ્રગટાવ્યો દીવો

મુંબઇ, તા.૧૪: આજે એટલે કે ૧૪ જૂનનાં સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને એક વર્ષ પૂર્ણ થઇ ગયો છે. સુશાંતનાં ફેન્સ માટે ૧૪ જૂનની તારીખ મનહૂસ છે. ફેન્સનું કહેવું છે કે, સુશાંત આજે ભલે અમારી સાથે ન હોય પણ તેની યાદો આજે પણ અમારા દિલમાં વસેલી છે. સોશિયલ મીડિયા પર એકટરનાં નામનું હેશટેગ સવારથી જ ટ્રેન્ડ કરી રહ્યું છે. ફેન્સથી માંડી સેલિબ્રિટીઝ સૌ કોઇ તેની પુણ્યતિથિ પર તેને યાદ કરી રહ્યું છે. આ વચ્ચે એકટરની આત્માની શાંતિ માટે અંકિતા લોખંડેએ દ્યરે એક હવન કરાવ્યો છે.

સુશાંત સિંહ રાજપૂતની પહેલી પુણ્યતિથિ પર એકટ્રેસ અંકિતા લોખંડે એ તેનાં ઘરે હવન કર્યો છે. અંકિતાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે જેમાં તે હવનની એક ઝલક જોવા મળી રહી છે. આ વીડિયોમાં હવન કુંડમાં પવિત્ર અગ્નિ નજર આવે છે .તો અંકિતાએ સુશાંતનાં નામનો દિવો પણ પ્રગ્ટાવ્યો છે. એકટ્રેસે કેટલાંક દિવસ પહેલાં સોશિયલ મીડિયા પરથી બ્રેક લીધો હતો. અને ગત રોજ તેણે ઇન્સ્ટાગ્રામ પર વાપસી કરી છે  ગત રોજ તેણે જે તસવીર શેર કરી હતી તેમાં તે દરીયા કિનારે ઉભેલી નજર આવી હતી. અને આકાશ તરફ જોતી રહેતી હતી. અંકિતાની આ તસવીર સાથે લખેલી કેપ્શને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે કેપ્શન- 'દૂરી કંઇ મહત્વ નથી રાખતી, કારણકે અંતમાં આપણે સૌ એક જ આકાશની નીચે છીએ.' એકટ્રેસની આ પોસ્ટ સુશાંતનાં ફેન્સ માટે ખાસ મેસેજ હતો.

 આપને જણાવી દઇએ કે, સુશાંત અને અંકિતા રાતોરાત સ્ટાર બની ગયા હતાં. જયારે તે 'પવિત્ર રિશ્તા'માં માનવ અને અર્ચનાનાં રોલમાં નજર આવ્યાં હતાં. એકતા કપૂરનાંઆ શો સૌથી સફળ ટીવી શોમાંથી એક છે. તેમની કેમેસ્ટ્રી હજુ પણ લોકોનાં ફેન્સનાં દિલમાં વસેલી છે. શોમાં માનવને એક મેકેનિકનાં રૂપમાં દર્શાવવામાં આવ્યો હતો જયારે અર્ચના એક દ્યર સંભાળવા વાળી યુવતીનાં રોલમાં હતી. ફેન્સને સુશાંતનો માનવનો રોલ પસંદ આવ્યો હતો. તેની ફેન ફોલોઇંગ ઘણી મોટી હતી. અંકિતાની સાથે તેની કેમેસ્ટ્રીએ પણ શોને સફળતા અપાવી હતી.

(4:59 pm IST)