Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

૨૪ કલાકમાં ૭૦૪૨૧ કેસઃ ૩૯૨૧ લોકોના મોત

એકટીવ કેસ ૧૦ લાખની અંદર

નવી દિલ્‍હી, તા.૧૪: દેશમાં આમ તો કોરોના ની બીજી લહેર કાબૂમાં જોવા મળી રહી છે. નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ મૃત્‍યુમાં પાછો વધારો થયો છે. આજે બહાર પડેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૭૦ હજાર કેસ નોંધાયા છે. જયારે ૩૯૨૧ લોકોના કોરોનાથી મોત થયા છે. ગઈ કાલે એક દિવસમાં ૮૦ હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા જયારે ૩૩૦૩ લોકોના મોત થયા હતા.

કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૭૦,૪૨૧ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો ૨,૯૫,૧૦,૪૧૦ પર પહોંચી ગયો છે. જેમાંથી ૯,૭૩,૧૫૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. એક દિવસમાં ૧,૧૯,૫૦૧ દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો ૨,૮૧,૬૨,૯૪૭  થયો છે. જો કે કોરોનાથી થતા મોતનો આંકડો ફરી એકવાર વધ્‍યો છે જે ચિંતાજનક છે. ૨૪ કલાકમાં ૩૯૨૧ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્‍યો. દેશમાં કોરોનાથી કુલ મૃત્‍યુનો આંકડો હવે ૩,૭૪,૩૦૫ પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્‍યાર સુધીમાં ૨૫,૪૮,૪૯,૩૦૧ લોકોનું રસીકરણ કરાયું છે. ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્‍યાં મુજબ દેશમાં ગઈ કાલે ૧૪,૯૨,૧૫૨ કોરોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા. આ સાથે અત્‍યાર સુધીમાં કરાયેલા કુલ કોરોના ટેસ્‍ટિંગનો આંકડો ૩૭,૯૬,૨૪,૬૨૬ પર પહોંચી ગયો છે. ગઈ કાલે રાજય આરોગ્‍ય વિભાગે બહાર પાડેલા આંકડા મુજબ એક દિવસમાં નવા ૪૫૫ કોરોના કેસ નોંધાયા. જયારે ૧૦૬૩ દર્દીઓ રિકવર થયા. કોરોનાથી એક દિવસમાં ૬ લોકોએ જીવ ગુમાવ્‍યા. રાજયમાં કુલ સંક્રમિતોનો આંકડો ૮,૨૦,૩૨૧ થયો છે. જયારે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્‍યા ૮ લાખ ઉપર પહોંચી ગઈ છે. ૯૯૯૭ દર્દીઓએ અત્‍યાર સુધીમાં કોરોનાથી જીવ ગુમાવ્‍યા છે. હાલ રાજયમાં ૧૦,૨૪૯ એક્‍ટિવ કેસ છે.

(10:57 am IST)