Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

સલમાનની હત્યા માટે બે દિવસ તેના ઘરની રેકી કરી : કેટલા અંતરથી ગોળી મારી શકાય સહીત તમામ પ્લાન

સલમાનના આવવા જવાનો સમય અને સિક્યોરિટીની મેળવી હતી જાણકારી : ચોંકવનારા ખુલાસા

મુંબઈ :ગુરૂગ્રામ STFની ટીમે સલમાનખાનની હત્યાનાં ષડયંત્રનો ખુલાસો કર્યો છે હૈદરાબાદનાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનાં ગુર્ગે સંપત નહેરાની ધરપકડ કરી છે સંપત નેહરા પર હત્યા, હત્યાનાં પ્રયાસ અને ખંડણી માંગવાનાં બે ડઝનથી વધુ કેસ હરિયાણા સહિત ઘણાં રાજ્યોમાં દાખલ છે. ઘરપકડ બાદ સંપત નેહરાની STFની ટીમે પુછપરછ કરતા તેણે કબૂ લાત કરી કે તે સલમાન ખાનની હત્યાનું ષડયંત્ર રચી રહ્યો હતો.

   STFની ટીમનાં જણાવ્યાં મુજબ સંપત નેહરાએ કબૂલ્યું છે કે તે હત્યા માટે બે દિવસ સુધી તેનાં ઘરની રેકી કરી ચુક્યો છે. ષડયંત્ર કોઇપણ રીતે નિષ્ફળ ન થાય તે માટે નેહરા ઘરની આસપાસની જાણકારી રાખવાની સાથે સલમાનનાં આવવા જવાનાં સમય અને સિક્યોરિટીની જાણકારી પણ રાખતો હતો

   સંપત નેહરા મેનાં પહેલાં અઠવાડિયામાં સલમાનનાં ઘરની રેકી કરવાં ગયો હતો. સંપત નેહરા સલમાનનો ફેન બનીને તે સમયે સલમાનની હત્યાની તાકમાં બેઠો હતો જ્યારે સલમાન તેનાં ઘરની બાલકની પર ઉભો રહીને તેનાં ફેનથી રુબરુ થતો હોય છે. એટલું જ નહીં ફેન્સ અને સમલાનની વચ્ચે કેટલું અંતર છે અને અંતરમા કયા હથિયારથી ગોળી મારી શકાય છે તેની તમામ જાણકારી સંપત નેહરા પાસે હતી. પણ સંપત નેહરા પોતાના મિશનમાં કામયાબ થાય તે પહેલાં જ STFએ તેને હૈદરાબાદમાં જ ઝડપી પાડ્યો હતો.

(11:40 am IST)