Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

દેશમાં કોરોના ધીમો પડ્યો :છેલ્લાં 24 કલાકમાં 3.37 લાખ કેસ: એક્ટિવ કેસમાં સતત ત્રીજા દિવસે ઘટીને 37 લાખથી વધુ : રિકવર થનારની સંખ્યા 2 કરોડને પાર પહોંચી : કર્ણાટક મહારાષ્ટ્ર-અને ઉત્તરપ્રદેશમાં નવા કેસમાં ઘટાડો: મૃત્યુઆંક પણ ઘટ્યો

સૌથી વધુ મહારાષ્ટ્રમાં 42,582 કેસ, કેરળમાં 39,955 કેસ,કર્ણાટકમાં 35,297 કેસ, તામિલનાડુમાં 30,621કેસ, આંધ્રપ્રદેશમાં 22,399 કેસ, પશ્ચિમ બંગાળમાં 20,839 કેસ ,ઉત્તર પ્રદેશમાં 17,745 કેસ, રાજસ્થાનમાં 15,867 કેસ,હરિયાણામાં 12,286 કેસ, ગુજરાતમાં 10,742 કેસ,ઓરિસ્સામાં 10,649 કેસ, દિલહીમાં 10,489 કેસ નોંધાયા

દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે. દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, મૃત્યુઆંક સતત વધી રહ્યો હતો પણ હવે તેમાં પણ ઘટાડો થઇ રહયો છે 

દેશમાં કોરોનાનાં 3.37 લાખ વધુ કેસ નોંધાયા છે. જ્યારે રિકવર થયેલા કેસ પણ 3.37 લાખ નોંધાયા છે. જે બાદ હવે દેશમાં 2 કરોડથી વધુ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 3,37,628 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 3886 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.62,239 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 3,37,628 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,40,40,851 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 37,02,252એ  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 3,37,487 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  2,00,66,284 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ  મહારાષ્ટ્રમાં 42,582 કેસ નોંધાયા છે જયારે કર્ણાટકમાં 35,297 કેસ, તામિલનાડુમાં 30,621કેસ,કેરળમાં 39,955 કેસ, આંધ્રપ્રદેશમાં 22,399 કેસ,ઉત્તર પ્રદેશમાં 17,745 કેસ, પશ્ચિમ બંગાળમાં 20,839 કેસ, રાજસ્થાનમાં 15,867 કેસ,હરિયાણામાં 12,286 કેસ, દિલહીમાં 10,489 કેસ,ગુજરાતમાં 10,742 કેસ,ઓરિસ્સામાં 10,649 કેસ નોંધાયા છે

 

(1:13 am IST)